Indian Railways News => Topic started by chotelal on May 21, 2013 - 20:00:18 PM


Title - Indian Railway ticket booking - રેલવે મુસાફરો માટે ખુશીના સમાચાર: ફક્ત બે મિનિટમાં જ ટિકિટ થશે બુક
Posted by : chotelal on May 21, 2013 - 20:00:18 PM

- આગામી નવેમ્બરથી ઈ-ટિકિટ ફક્ત બે મિનિટમાં જ બુક થશે
- હાલમાં ઈ ટિકિટ બુક કરવા માટે 10 મિનિટ જેટલો સમય થાય છે
- એક મિનિટમાં સાત હજાર ટિકિટ બુક થાય તે પ્રમાણેની ક્ષમતા વધારાશે

દુનિયામાં સૌથી મોટું રેલવે નેટવર્ક ધરાવતાં ભારતીય રેલવે એક ક્રાંતિકારી કહિ શકાય તેવું પગલું ભરવા જઈ રહી છે. રેલવે તંત્ર જમાનાની સાથે અપડેટ થઈ રહ્યાંના સમાચાર સાંપડી રહ્યાં છે. જેમાં મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને મુસાફરોનો સમય બચે તે માટે ઓનલાઈન ઈ ટિકિટ બુક કરાવતાં મુસાફરો માટે હવે વધારે સમય કમ્પ્યુટરની સ્ક્રિન સામે બેસી નહિં રહેવું પડે પરંતુ જેવી ટિકિટ માટે અરજી કરો કે તરત જ બીજી જ મિનિટે મુસાફરના હાથમાં ઈ-ટિકિટ આવી જાય તેવી વ્યવસ્થા રેલવે દ્વારા થઈ રહ્યાનું જાણવા મળી રહ્યું છે.

હાલ રિઝર્વેશન સેન્ટર પર ન જતાં અને ઓનલાઈન ઈ- ટિકિટ બુક કરાવી મુસાફરી કરવાનું મુનાસિબ માનતાં પ્રવાસીઓને હવે વધારે સમય કમ્પ્યુટર પર ન બેસી રહેવું પડે તે માટે રેલવે તંત્ર દ્વારા નવા સર્વર ઉભા કરીને મુસાફરોનો વર્ષો જુનો પ્રશ્ન હલ કરવાનું રેલવે તંત્ર વિચારી રહ્યું છે. જેમાં હાલના સમયમાં લાગતો દસેક મિનિટ જેવો સમય લગભગ ઘટીને બે મિનિટની આસપાસનો થઈ જશે.

રિઝર્વેશન સેન્ટર કરતાં મોટાભાગના લોકો ઘરબેઠા રેલવેની રિઝર્વેશન ટિકિટ બુક કરાવતાં હોય છે. જેને ધ્યાને રાખીને રેલવે તંત્રએ ઈ-ટિકિટના સર્વરની ક્ષમતા વધારવાની કામગીરી શરૂ કરી દીધી છે અને આગામી નવેમ્બર માસથી ફક્ત બેથી ત્રણ મિનિટમાં ઈ-ટિકિટ બુક કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. હાલમાં ઈ-ટિકિટ બુક કરાવવા માટે સાતથી દસ મિનિટ જેટલો સમય થતો હોવાથી લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ઈ-ટિકિટ ઝડપથી લોકોને મળે તેની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. જેથી એક મિનિટમાં સાત હજાર જેટલી ઈ-ટિકિટ એકસાથે બુક થઈ શકશે.

જે કામગીરી આગામી નવેમ્બર માસમાં પૂરી થનાર હોવાની વિગતો જાણવા મળી છે. જેથી નવેમ્બરના અંત સુધીમાં લોકો આ સુવિધાનો સારી રીતે લાભ ઉઠાવી શકશે. અને લાઈનમાં તથા કોમ્પ્યુટર પર ટિકિટ કઢાવવાનું મુસાફરો માટે એકદમ સરળ બની રહેશે તેમ અંતરંગ સુત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

જો કે આ સુવિધા શરૂ કર્યા પછી પણ એજન્ટો માટે જે સવારે 10થી 12 કલાક તત્કાલ ટિકિટના સમય દરમિયાન લોગીન બંધ કરી દેવામાં આવે છે તેમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું. જેથી લોકો ઘરે બેઠા-બેઠા જ ઈ-ટિકિટ બુક કરાવી શકે અને રિઝર્વેશન સેન્ટર પર લાંબી લાઈનોમાં ઊભી રહીને ટિકિટ લેવાની પળોજણમાંથી છુટકારો મળે તે પ્રમાણેની કામગીરી કરવામાં આવી રહી છે.