Indian Railways News => Topic started by irmafia on Jul 12, 2013 - 15:01:23 PM


Title - વલસાડમાં પૂરની સ્થિતી,ટ્રેન વ્યવહાર ખોરવાયો
Posted by : irmafia on Jul 12, 2013 - 15:01:23 PM

વલસાડમાં અનરાધાર વરસાદના પગલે વલસાડ જિલ્લામાંથી પસાર થતો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. રેલવે ટ્રેક પર બે થી ત્રણ ફૂટ જેટલા પાણી ભરાયાં હોવાથી ટ્રેન વ્યવહાર ખોરવાયો છે અને મોટાભાગની ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. જેમાં મુંબઈ સુરત વચ્ચેનો રેલ વ્યવહાર ખોરવાયો છે. રાજધાની, ગુજરાત ક્વીન, વિરાર ગુજરાત એક્સપ્રેસ ટ્રેન રદ્દ કરવામાં છે. આ સિવાય કર્ણાવતી સુપર ફાસ્ટ ટ્રેન, વલસાડ વિરમગામ ટ્રેન રદ્દ થઈ છે. ફલાઈંદ રાણી વલસાડ દાહોદ ટ્રેન રદ કરવામાં આવી છે.તો, રાજધાની ટ્રેનના મુસાફરો અટવાયાં ભારે વરસાદના પગલે અટવાયાં છે.